Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલરે કરી વિરાટ કોહલી અને ધોનીની તુલના, કહ્યુ કે કેપ્ટન તરીકે તો…295295 Views

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામે ભલે આઈસીસીની મોટી ટ્રોફી ન હોય, પરંતુ તેણે ટીમમાં ફેરફાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં એક નવા પ્રકારનું આક્રમણ જોવા મળી રહ્યું છે.

કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. આ સફળતા મેળવનાર તે પહેલો એશિયન કેપ્ટન બન્યો. કોહલીની કેપ્ટનશીપ હેઠળ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ ટોચ પર છે.

નિષ્ણાંતોના મતે ભારતીય ટીમમાં આ સમયે સૌથી મજબુત અને ઝડપી બોલિંગનો દબદબો છે. તેમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમાર જેવા બોલરો શામેલ છે. આ ઝડપી બોલરો પણ તેમની સફળતાનું શ્રેય ક્યાંક કોહલીને આપે છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર ખેલાડીઓની સફળતા પાછળ કોહલીની કેપ્ટનશીપને શ્રેય આપે છે. અગરકર કહે છે કે કોહલીની કેપ્ટનશીપને કારણે ભારતીય ટીમ તેમના ઝડપી બોલરો પર આટલો ભરોસો રાખવામાં સક્ષમ છે. અગરકરે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ વચ્ચેનો તફાવત જણાવ્યો હતો.

અગરકરે કહ્યું હતું કે કોહલી ઝડપી બોલરો પર વધુ આધાર રાખે છે. અજિત અગરકરે કહ્યું છે કે ધોની પેસર્સ પર વધુ આધાર રાખે છે અને તેની રણનીતિ માટે ધોની સ્પિનરો પર વધુ નિર્ભર હતો. અગરકરે કહ્યું કે કોહલીની વ્યૂહરચનાથી વિદેશ પ્રવાસ પર ભારતને ફાયદો થાય છે.

અગરકરે કહ્યું, ‘વિરાટ કોહલી લાંબા સમયથી તમામ પ્રકારના મેચનો કેપ્ટન છે અને અમે જોઈ રહ્યા છીએ કે પરિણામો કેટલા સારા આવ્યા છે. પદ્ધતિ જુદી હોઈ શકે છે, પરંતુ જ્યારે તમે તમારા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરો છો, ત્યારે તમને કેપ્ટન તરીકે સારા પરિણામ મળે છે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106