સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હંમેશાથી લોકોની પહેલી પસંદ બની રહ્યું છે. પરંતુ કેટલાક સમયથી શોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 12 વર્ષથી શોમાં ભાગ લેનારી નેહા મહેતાએ આ શો છોડી દીધો છે. આ શોમાં નેહા અંજલિ મહેતાની ભૂમિકા નિભાવી રહી હતી.
દરેકનો મનપસંદ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગે છે. એક પછી એક બધા સ્ટાર્સ શો છોડતા નજરે પડે છે. આ સાથે જ તાજેતરમાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવી ચૂકેલી નેહા મહેતાએ પણ આ શોને અલવિદા કહી દીધું છે. નેહા છેલ્લા 12 વર્ષથી આ શોમાં અંજલિની ભૂમિકામાં જોવા મળી હતી નેહાના અચાનકથી શો છોડવાના કારણે ચાહકો એકદમ નિરાશ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નેહા અને પ્રોડક્શન વચ્ચે થોડી તકરાર થઈ હતી, ત્યારબાદ નેહાએ શો છોડી દીધો હતો.
સમાચારો અનુસાર નેહાને પ્રોડક્શનમાં થોડી સમસ્યા હતી. તેણે ફેબ્રુઆરીમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જેના કારણે નેહા મહેતાએ શો છોડવાનો નિર્ણય લીધો છે. જોકે, આ મુદ્દે નેહા મહેતા સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ પછી સુનેના ફોજદારને શોમાં લેવામાં આવી છે.
તાજેતરમાં અસિત મોદીએ એક ઓફિશ્યિલ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું જેમાં તેમણે ફરી અભિનેત્રી સાથે કામ કરવાની વાત કરી છે. નિર્માતા અસિત મોદીની ટીમે એક નિવેદન બહાર પાડ્યું જેમાં તેમણે કહ્યું હતું, નેહા મહેતા હંમેશા આપણા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરિવારનો ભાગ બની રહેશે. અમે 12 વર્ષ સુધી સાથે કામ કરીને એક સંબંધ બનાવ્યો છે, જેને સરળ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આ નિર્ણય બંને તરફથી સહમતી બાદ લેવામાં આવ્યો હતો. ટીમનો દરેક સભ્ય નેહાના પાત્ર અંજલિ મહેતાના શોમાં હોવાની પ્રશંસા કરી હતી. જો અમને ભવિષ્યમાં ક્યારેય સાથે કામ કરવાની તક મળશે, તો અમે ચોક્કસ તેની સાથે કામ કરીશું.