Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

થાણામાં યોજાયેલ ૬૨ મા સમૂહલગ્નમાં ૪ નવયુગલોના પ્રભુતામાં પગલાં7979 Views

શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈ આયોજિત ૬૨ મો સમૂહલગ્ન સમારોહ વસંતપંચમીના શુભદિને થાણા સમાજવાડીમાં યોજાયેલ જેમાં ૪ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
 કોરોના મહામારીના સરકારી નિયમોના કડક પાલન સાથે યોજાયેલ આ સમૂહલગ્નમાં સમાજના વડીલો અને જ્ઞાતિજનોએ ખાસ ઉપસ્થિત રહી વરકન્યાઓને શુભાશિષ આપેલ.
સવારના ૭ વાગ્યે કન્યાઓના માંડવાની વિધિ શરૂ કરવામાં આવેલ.૮-૩૦ કલાકે જાનોના સામૈયાં ઢોલ-શરણાઈના સૂરો સાથે કરવામાં આવેલ. હસ્તમેળાપ ૧૦-૩૦ કલાકે શાસ્ત્રોકત વિધિ સાથે કરવામાં આવેલ.
લગ્નવિધિ બાદ વર- કન્યાનો ગ્રુપ ફોટો ટ્રસ્ટ ફંડના ચેરમેન અરૂણભાઈ નાકરાણી, મેનેજીંગ ટ્રસ્ટી છગનભાઈ રામજીયાણી તથા ટ્રસ્ટ ફંડના સર્વે ટ્રસ્ટીઓ સાથે પડાવેલ.અરૂણભાઈ નાકરાણી અને થાણા સમાજના પ્રમુખ કાન્તિલાલ લખમશી લીંબાણીએ નવદંપતિને આશીર્વચન આપેલ.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106